નિર્ણય સિંઘુ વ્યાસના વચનમુજબ આ દિવસે મૌન રહીને સ્નાન ધ્યાન કરવાથી સહસ્ત્ર ગોદામનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં આ અશ્વત્થ પ્રદક્ષિણા વ્રતની પાણ સંજ્ઞા આપવામાં આવી છે. અશ્વત્થ મતલબ પીપળાનુ વૃક્ષ. આ દિવસે પીપળાની સેવા, પૂજા પરિક્રમાનુ વિશેષ મહત્વ છે. આ વખતે સોમવતી અમાસ 12 ઓક્ટોબરના રોજ છે. જે શ્રાદ્ધ પક્ષનો અંતિમ દિવસ પણ છે. આવો જાણીએ આવાજ કેટલાક ઉપાય જેને આ દિવસે કરીને આપણે આપણા ભાગ્યને બદલી શકીએ છીએ.
1. શ્રાદ્ધમાં આવનારી સોમવતી અમાસના દિવસે પોતાના પિતરોના નામ પર દાન-પુણ્ય કરવુ જોઈએ. વિશેષ રૂપે ગાય, ભિખારી અને નાના બાળકોને ખાવાનું ખવડાવવાથી પિતૃ દોષ દૂર થાય છે. આવનારા બધા સંકટ ટળે છે. જો શક્ય હોય તો તેમણે દક્ષિણા પણ દાન કરો.
3. આ દિવસે પીપળાના પૂજનમાં દૂધ, દહીં, ગળ્યુ, ફળ, ફૂલ, જળ, જનોઈ જોડો ચઢાવવાથી અને દિપક ચઢાવવાથી ભકતોની બધી મનોકામના પુર્ણ થાય છે. એવુ કહેવાય છે કે પીપળના મૂળમાં ભગવાન વિષ્ણુ અને થડમાં ભગવાન શિવજી અને અગ્રભાગમાં ભગવાન બ્રહ્માજીનો વાસ છે. તેથી સોમવતી અમાસના દિવસે પીપળાના પૂજનથી અક્ષય પુણ્ય લાભ અને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે.