સુરત: ગ્રીષ્માના નથી થયા અંતિમસંસ્કાર

સોમવાર, 14 ફેબ્રુઆરી 2022 (17:56 IST)
સુરત: ગ્રીષ્માના નથી થયા અંતિમસંસ્કાર- પિતા આફ્રિકાથી રવાના થઈ ગયા છે. તેઓ આવ્યા બાદ જ અંતિમસંસ્કાર કરવામાં આવશે.
 
પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણી નામક યુવકે ગ્રીષ્મા નંદલાલભાઈ વેકરિયા નામની યુવતીને તેની માતા અને ભાઈની નજર સામે જાહેરમાં રહેંસી નાખી હતી. એક વર્ષથી ગ્રીષ્માને હેરાન કરતા ફેનિલને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે શનિવારે ઘરે આવી ગયો હતો. જોકે તેને ફરી સમજાવવા જતાં ગ્રીષ્માના મોટા પપ્પા-ભાઈને તેણે ચપ્પુના ઘા માર્યા હતા અને હાથમાં જકડી લીધેલી ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર