રાકેશ ટિકૈતએ ગાંધી આશ્રમની લીધી મુલાકાત, કહ્યું: ગુજરાતના ખેડૂતો ડરેલા છે અમે તેમનો ડર ભગાડવા આવ્યા છીએ

સોમવાર, 5 એપ્રિલ 2021 (12:23 IST)
ભારતીય કિસાન યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાતમાં છે. રાકેશ ટિકૈત અહીં ખેડૂત આંદોલનને પ્રોત્સાહન આપવા માટે આવ્યા છે. પોતાના બે દિવસમાં રાકેશ ટિકૈત તમામ ખેડૂત સંગઠનોના પદાધિકારીઓને મળશે અને આગળની રણનીતિ પર ચર્ચા કરશે. રાકેશ ટિકૈતએ અમદાવાદના ગાંધી આશ્રમમાં પહોંચીને પ્રાર્થના પણ કરી હતી. તેમનું કહેવું છે કે સત્તારૂઢ ભાજપે આ રાજ્યમાં ભાજપે આ રાજ્યમાં ખેડૂતો હાલત ખરાબ છે. હવે કૃષિ ક્ષેત્રની લડાઇમાં આ ખેદૂતોને પણ પોતાની સાથે જોડશે. 
 
ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યા કરવાની ઘટના પર વાત કરતાં રાકેશ ટિકૈતએ કહ્યું કે 'ગુજરાતના ખેડૂતો ભયમાં છે. અમે અહીં તેમનો ડર કાઢવા માટે આવ્યા છીએ. અમે રાજ્યના ખેડૂતો, તેમના લીડરો સાથે અને પ્રેસને સ્વતંત્ર કરવા માંગીએ છીએ. અહીંના ખેડૂતો પણ દિલ્હી પહોંચીને કાળા કાયદાનો વિરોધ કર્યો છે. આ કાયદાથી ખેતી-ખેડૂતો બરબાદ થઇ જશે, જે અમને મંજૂર નથી. 
 
રાકેશ ટિકૈતએ આગળ કહ્યું કે મારો આ 2 દિવસનો કાર્યક્રમ છે ત્યારબાદ બીજા કાર્યક્રમ થશે. હું પણ સ્પષ્ટ કહી રહ્યો છું કે ગુજરાત ખૂબ સંવેદનક્ષેત્ર છે અને આપણા ખેડૂત ભાઇને સાવધાન રહેવું જોઇએ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર