Todays Latest News Live લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવી હવે લોકડાયરાના કાર્યક્રમો નહીં કરે

મંગળવાર, 4 ફેબ્રુઆરી 2025 (10:11 IST)
લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવી હવે લોકડાયરાના કાર્યક્રમો નહીં કરે
bhikhudan gadhvi

પદ્મશ્રી લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવીએ આજીવન લોકડાયરાના કાર્યક્રમો નહીં કરવાનો નિર્ણય લીધો છે. તેમણે ડાયરામાંથી સંન્યાસ લીધો છે. તેઓ દેશ-વિદેશમાં ક્યાંય કાર્યક્રમો નહીં કરે.  તેમણે આ માટે પોતાની વધતી વયનુ કારણ આપ્યુ. ભીખુદાન ગઢવી 77 વર્ષના છે. ભીખુદાન ગઢવીએ છેલ્લો ડાયરો જામનગરમાં કર્યો હતો. ભીખુદાનભાઈ ગઢવી ગુજરાતી લોક-સાહિત્યનાં એક ખૂબ જ જાણીતા કલાકાર છે. તેમના લોકસાહિત્યને લગતા કાર્યક્રમો, લોક-ડાયરો માત્ર ગુજરાત જ નહીં, પણ ભારત સહિત વિદેશોમાં પણ થાય છે. જોકે હવે તેઓ ડાયરો કરતા નહીં દેખાય. ભીખુદાન ગઢવીને ભારતીય સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો છે.

10:20 AM, 4th Feb
વૃદ્ધ મહિલાને પુત્ર અને પુત્રવધુએ માર માર્યો, પોલીસે પણ સાંભળી નહી ફરિયાદ  
GUJARAT TRAFFICE POLICE
 પુત્ર અને પુત્રવધુએ માર માર્યાની ફરિયાદ લઈને વૃદ્ધા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જોકે પોલીસે વૃદ્ધ મહિલાને કલાકો સુધી બહાર પગથીયા પર બેસાડી રાખ્યા અને તેમને સાંભળવાની પણ તસ્દી લીધી નહોતી. કલાકો સુધી મદદની આશાએ બેઠેલી વૃદ્ધાને મદદ ન મળતા તેઓ વિલા મોઢે પાછા ફર્યા હતા. વૃદ્ધ મહિલાની આંખોમાં આંસુ હતા. છતાં પોલીસ નિષ્ઠુર બની રહી. આ ઘટનાનો વીડિયો સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર