કેજરીવાલનો આજે ગુજરાત પ્રવાસ, મહેસાણામાં 'તિરંગાયાત્રા'માં ભાગ લેશે

રવિવાર, 5 જૂન 2022 (11:29 IST)
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, 15 મેના રોજ શરૂ થયેલી આમ આદમી પાર્ટીની ત્રણ સપ્તાહની 'પરિવર્તનયાત્રા' પૂરી થઈ રહી હોવાથી કેજરીવાલ અમદાવાદ આવી રહ્યા છે.
 
દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ રવિવારે ગુજરાતમાં રોડ શોમાં ભાગ લેશે અને મહેસાણામાં સભાને સંબોધિત કરશે.
 
આમ આદમી પાર્ટીના ગુજરાતના વડા ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે કેજરીવાલ યાત્રા દરમિયાન જનતાને પણ સંબોધિત કરશે.
 
AAPનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના ગઢ ગણાતા મહેસાણામાં કેજરીવાલની આ પ્રથમ મુલાકાત હશે.
 
આગામી ડિસેમ્બર મહિનામાં યોજાઈ રહેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કેજરીવાલ ગુજરાત પર સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ગુજરાતના એક અધિકારીએ જણાવ્યું હતું કે મહેસાણામાં આ રોડ શો પાટીદાર, ચૌધરી અને ઠાકોર સમુદાયોને ટાર્ગેટ કરીને યોજાઈ રહ્યો છે..
 
2017ની વિધાનસભા ચૂંટણીમાં, ભાજપ મહેસાણાની સાતમાંથી પાંચ બેઠક જીત્યો હતી, જ્યારે કૉંગ્રેસ બે બેઠક જીતી હતી.
 
પાછળથી, કૉંગ્રેસના બે ધારાસભ્યોમાંથી એક ઊંઝાના ધારાસભ્ય આશા પટેલ પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયાં હતાં. ગયા વર્ષે ડિસેમ્બરમાં તેમનું અવસાન થયું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર