ત્યાર બાદ બંને દેશો વચ્ચે તણાવ વધતો જઈ રહ્યો છે.
આ દરમિયાન ભારતના પ્રેસ ઇન્ફૉર્મેશન બ્યૂરો (પીઆઇબી)એ સોશિયલ મીડિયા ઍક્સ પર એક પોસ્ટ કરીને જણાવ્યું હતું કે 7 મેના ભારતના હુમલા બાદ પાકિસ્તાને 7-8 મેની રાત્રે ઉત્તર અને પશ્ચિમ ભારતના અવંતિપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોડી, ઉત્તરલાઈ અને ભુજ સહિતનાં સ્થળોએ ડ્રોન અને મિસાઇલ વડે સૈન્ય ટાર્ગેટ સાથે અથડામણનો પ્રયાસ કર્યો હતો.
ભારતના રક્ષા મંત્રાલયે કહ્યું છે કે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના કુપવાડા, બારામૂલા, ઉરી, પુંછ, મેંઢર અને રજૌરી સેક્ટરમાં મોર્ટાર અને ભારે તોપોનો ઉપયોગ કરીને નિયંત્રણ રેખા પર 'કોઈ ઉશ્કેરણી વગર' ગોળીબાર કર્યો છે.