ઍર ઇન્ડિયાએ કહ્યું છે કે તેની જમ્મુ અને શ્રીનગર તરફ આવતી જતી તમામ ફ્લાઇટ્સ, લેહ તરફ આવતી જતી તમામ ફ્લાઇટ્સ, ચંદીગઢ, જોધપુર, અમૃતસર, ભુજ, જામનગર અને રાજકોટ તરફ જતી તમામ ફ્લાઇટ્સ 10મી મે, સવાર સુધી રદ કરી દેવામાં આવી છે.
કારણ કે ભારતની ઍરપૉર્ટ ઑથોરિટીઝે આ ઍરપૉર્ટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
ઇન્ડિગોએ કહ્યું છે કે તેણે પણ ધરમશાળા, બિકાનેર અને કિશનગઢ, તથા ગ્વાલિયર તરફથી આવતી અને જતી તમામ ફ્લાઇટ્સ રદ કરી છે. ઍર ઇન્ડિયાએ જે યાદી જાહેર કરી તે તમામ શહેરો પણ ઇન્ડિગોની યાદીમાં છે.