"અમદાવાદ એયરપોર્ટ પર દુર્ઘટના પહેલા ટ્રાફિકને કારણે ચેક ઈન ગેટ પર પહોચવામાં મને 10 મિનિટ મોડુ થયુ. ફ્લાઈટમાં બોર્ડિંગની અનુમતિ ન મળવાને કારણે પાછુ આવવુ પડ્યુ. એયરપોર્ટમાંથી બહાર આવતા જ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાના સમાચાર મળ્યા. જે સાંભળીને મારુ શરીર એકદમ ઘ્રુજી રહ્યુ છે અને મારુ મગજ એકદમ બ્લેન્ક થઈ ગયુ છે. મને મારા ગણપતિ બાપ્પાએ બચાવી. હુ સુરક્ષિત છુ એ માટે ઈશ્વરનો આભાર.. પણ જે થયુ એ ખૂબ જ ભયાવહ છે."
અમદાવાદ એયરપોર્ટ પહોચવામાં 10 મિનિટનુ મોડુ ભૂમિ ચૌહાણ માટે વરદાન સાબિત થયુ. તે ગુરૂવારે એયર ઈંડિયાની ફ્લાઈટ AI-171 માં નહી જઈ શકી. તેણે કહ્યુ કે ટ્રાફિક જામને કારણે તેને એયરપોર્ટ પહોચવામાં મોડુ થયુ હતુ. જેને કારણે તેને વિમાનમાં બોર્ડિંગની મંજુરી મળી નહી. ભૂમિકે જીવ બચ્યા પછી ગણપતિ બાપ્પાનો આભાર માન્યો. તેણે કહ્યુ હુ સુરક્ષિત છુ... પણ વિમાન દુર્ઘટના ખૂબ જ ભયાનક છે.
ગુજરાતના ભરૂચની રહેનારી ભૂમિ ચૌહાણને પણ એયર ઈંડિયાની ફ્લાઈટ AI-171 દ્વારા લંડન જવાનુ હતુ. પણ તે 10 મિનિટ મોડી સરદાર વલ્લભભાઈ એયરપોર્ટ પર પહોચી. આ એજ ફ્લાઈટ હતી જે પછી દુર્ઘટનાનો ભોગ બની. જેમા ક્રૂ મેમ્બર સહિત સવાર 242 માંથી 241 લોકોના મોત થઈ ગયા. વિમાન દુર્ગટનાનો શિકાર થવાનો પોતાનો અનુભવ ભૂમિએ શેયર કર્યો.
ટ્રાફિક જામ ને કારણે એયરપોર્ટ પહોચવામાં 10 મિનિટ થયુ મોડુ
ભૂમિ ચૌહાણે જણાવ્યુ કે ગઈકાલે અમદાવાદમાં ટ્રાફિક જામ હતો. જેને કારણે ચેક-ઈન ગેટ પર ફક્ત 10 મિનિટ મોડી પહોચી હતી. ત્યા પહોચ્યા પછી મને અંદર ન જવા દીધી અને હુ પરત ફરી. ભૂમિએ જણાવ્યુ કે એયરપોર્ટ પર તેમને કહેવામાં આવ્યુ હતુ કે જો તેને અંદર જવા દેવામાં આવશે તો ફ્લાઈટમાં વધુ મોડુ થશે. જે પછી તે એરપોર્ટની બહાર આવી. આ દરમિયાન તેને સમાચાર મળ્યા કે વિમાન ક્રેશ થયું છે. આ માહિતી મળતાં જ હું ચોંકી ગઈ. તેણે કહ્યું, 'હું મારા ગણપતિ બાપ્પાનો આભાર માનું છું કે હું સુરક્ષિત છું, પરંતુ આ ઘટના ખૂબ જ ભયાનક છે.'
ભૂમિ બે વર્ષ પછી રજાઓ ગાળવા ભારત આવી હતી. ભરૂચની રહેવાસી ભૂમિ ચૌહાણ લંડનમાં રહે છે. તે બે વર્ષ પછી રજાઓ ગાળવા ભારત આવી હતી. ગુરુવારે તેને એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 દ્વારા લંડન પરત જવુ પડ્યું. તેણે કહ્યું કે જ્યારે મેં વિમાન ક્રેશના સમાચાર સાંભળ્યા ત્યારે મારું સ શરીર એકદમ સુન્ન થઈ ગયું. હું કંઈ કહેવાની સ્થિતિમાં નહોતી. મને સમજાતું નહોતું કે હુ ખુદને કેવી રીતે સમજાવું. તેણે કહ્યું કે ટ્રાફિક જામમાં ફસાઈ જવાને કારણે મને એરપોર્ટ પહોંચવામાં મોડું થયું. તેણે કહ્યું કે ભગવાન દ્વારા સર્જાયેલી મુશ્કેલીથી મારો જીવ બચી ગયો. હું ભગવાનની આભારી છું કે તેમણે મારી મુસાફરીમાં ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિઓ ઉભી કરીને મને અકસ્માતનો ભોગ બનતા બચાવી.