પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ અર્પે તે જ પ્રાર્થના.."
અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 297 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં ફક્ત એક જ મુસાફર બચી ગયો છે. મૃતકોમાંથી 229 મુસાફરો હતા, જ્યારે 12 વિમાનના ક્રૂ મેમ્બર હતા. આ ઉપરાંત, જ્યાં વિમાન ક્રેશ થયું હતું તે મેડિકલ કોલેજ હોસ્ટેલમાં હાજર 56 લોકોએ પણ જીવ ગુમાવ્યો .
અમદાવાદમાં ક્ષતિગ્રસ્ત મેડિકલ કોલેજ કેમ્પસનો એક વીડિયો આજે સવારે સામે આવ્યો છે. ગુરુવારે બપોરે 242 મુસાફરોને લઈને લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન જ્યાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં કુલ 297 લોકોએ જીવ ગુમાવ્યા છે