Ahmedabad Plane Crash LIVE: પીએમ મોદીએ અમદાવાદમાં અકસ્માતની માહિતી મેળવી, ઘાયલોને મળ્યા

શુક્રવાર, 13 જૂન 2025 (07:22 IST)
plane crash

 
Ahmedabad Plane Crash LIVE: અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 297 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં ફક્ત એક જ મુસાફર બચી ગયો છે. મૃતકોમાંથી 229 મુસાફરો હતા, જ્યારે 12 વિમાનના ક્રૂ મેમ્બર હતા. આ ઉપરાંત, જ્યાં વિમાન ક્રેશ થયું હતું તે મેડિકલ કોલેજ હોસ્ટેલમાં હાજર 56 લોકોએ પણ જીવ ગુમાવ્યો હતો. પીએમ મોદી આજે ઘટના સ્થળની મુલાકાત લેશે. ગઈકાલે ગૃહમંત્રી અમિત શાહ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ દરમિયાન, વિમાન દુર્ઘટનાની તપાસ પણ તેજ કરવામાં આવી છે. સરકારે તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે.


જુઓ હવે કેવું દેખાય છે  ક્ષતિગ્રસ્ત મેડિકલ કોલેજ કેમ્પસ ?

 
અમદાવાદમાં ક્ષતિગ્રસ્ત મેડિકલ કોલેજ કેમ્પસનો એક વીડિયો આજે સવારે સામે આવ્યો છે. ગુરુવારે બપોરે 242 મુસાફરોને લઈને લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન જ્યાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં કુલ 297 લોકોએ જીવ ગુમાવ્યા છે.

અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા ગુજરાતના ગૃહમંત્રી 
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ મહામંત્રી (સંગઠન) રત્નાકર અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે.

DNA ટેસ્ટ દ્વારા મૃતક મુસાફરોની થઈ રહી છે ઓળખ  


અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના બાદ, એકમાત્ર બચી ગયેલા અને ઘાયલ MBBS વિદ્યાર્થીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મૃતક મુસાફરોની ઓળખ માટે DNA નમૂના પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે.
 
આજે અમદાવાદની મુલાકાત લેશે પીએમ મોદી 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના અમદાવાદની મુલાકાત લેશે. તેઓ અકસ્માત સ્થળની મુલાકાત લેશે. તેઓ ઘાયલોને પણ મળશે. તેઓ આ અકસ્માત અંગે સ્થાનિક અધિકારીઓ સાથે પણ વાત કરશે.
 
જાણો વિમાનમાં કોણ કોણ સવાર હતું?
એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI-171 અમદાવાદ એરપોર્ટથી લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહી હતી. તેમાં કુલ 230 મુસાફરો હતા, જેમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. બાકીના 12 ક્રૂ મેમ્બર હતા. વિમાનમાં સવાર લોકોમાં 103 પુરુષો, 114 મહિલાઓ, 11 બાળકો અને 2 નવજાત શિશુઓનો સમાવેશ થાય છે.

11:37 AM, 13th Jun
 
પીએમ મોદી સમીક્ષા બેઠક કરી રહ્યા છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર સમીક્ષા બેઠક કરી રહ્યા છે. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પણ હાજર છે. ગુજરાતના અન્ય અધિકારીઓ પણ આ બેઠકમાં હાજરી આપી રહ્યા છે.
 
 
- પીએમ મોદીએ ઘટના સ્થળની લીધી મુલાકાત તસ્વીર આવી સામે 
અમદાવાદ પહોંચતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એઆઈ171 વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી. અહી તેણે સ્થિતિની પૂછપરછ પણ કરી.  
 
- દુર્ઘટના સ્થળ પર પહોચ્યા પીએમ મોદી 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો વિમાન દુર્ઘટના સ્થળ પર પહોચી ગયો છે આ જગ્યાનો વીડિયો સામે આવ્યો છે. વિમાન દુર્ઘટ્૳નામાં ગુરૂવારે 12 ચાલક દળ સભ્યો સહિત 241 લોકોના મોત થઈ ગયા હતા.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર