ઑક્સીજનની કમીથી 12ની મોત- શહડોલ મેડિકલ કૉલેજના ICU માં દાખલ હતા કોરોના દર્દી- 24 કલાકમાં અહીં 22 દર્દીઓની મોત થઈ

રવિવાર, 18 એપ્રિલ 2021 (12:59 IST)
મધ્યપ્રદેશના શહડોલ મેડિકલ કૉલેજમાં ઑક્સીજનની સપ્લાઈનો પ્રેશર ઓછા થવાથી 12 કોવિડ દર્દીઓની મોત થઈ. બધા ICU માં દાખલ હતા. ઘટના શનિવારે રાત્રે 12 વાગ્યાની છે. ઑક્સીજનની કમી થતા દર્દી તરસવા લાગ્યા. ત્યારબાદ હોસ્પીટલમાં હોબાળો થઈ ગયો. ઑક્સીજન સિલેંડરોની વ્યવસ્થા માટે અફરાતફરી મચી. ગઈ. મેડિકલ પ્રબંધન ઑક્સીજનની સપ્લાઈનો પ્રેશર બનાવવા માટે સિલેંડરની વ્યવસ્થામાં લાગી ગયો. ઑક્સીજનની કમીથી 12 દર્દીઓથી પહેલા મેડિકલ કૉલેજમાં જ કોરોનાના 10 વધુ દર્દીઓની મોત થઈ ગઈ હતી. આ રીતે શનિવારે કુળ 22 દર્દીઓની જીવ ગયો.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર