હ્રદયરોગ નિષ્ણાંત ડૉકટરનું હાર્ટ એટેકથી મોત

મંગળવાર, 6 જૂન 2023 (13:28 IST)
Cardiologist dies of heart attack- હાર્ટ એટેકનુ પ્રમાણ સતત વધી રહ્યો કોઈને કેવી પણ રીતે કોઈ પણ સ્થિતિમાં હાર્ટ એટેક આવી રહ્યુ છે ક્યારે રમતા, નાચતા કે હંસતા હંસતા પણ લોકોમાં હાર્ટ એટેક આવી રહ્યા છે અને તે પછી તેમના મૃત્યુ પણ થઈ રહી છે. 
 
આવી જ એક ઘટના જામનગરમાં બની છે. અહીં તો એક હ્રદયરોગ નિષ્ણાંત ડૉકટરનું હાર્ટ એટેકથી મોત થઈ છે. જામનગરના વિખ્યાત કાર્ડીયોલોજીસ્ટ ડો.ગૌરવ ગાંધીનું નિધન થવાના સમાચાર છે. 
 
 જામનગરમાં હૃદય રોગના નિષ્ણાંત યુવા તબીબ ડો. ગૌરવ ગાંધી (ઉ.વ.41)નું હાર્ટએટેકથી નિધન થયું છે. તેમના નિધનથી તબીબી આલમ સહિત પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર