અમરેલી: 24 ગાયો ટ્રેનની નીચે કચડાઈ

ગુરુવાર, 12 ઑક્ટોબર 2023 (11:41 IST)
અમરેલીના સાવરકુંડલામાં ટ્રેનની અડફેટે આવવાથી 24 ગાયોના મોત થયા છે. 
 
અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક પર અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. ટ્રેનની અડફેટે સિંહો આવી જતા મોત થયાની ઘટના હજુ તાજી છે ત્યા હવે ટ્રેનની અડફેટે 24 જેટલા પશુઓ આવી ગયા હતા. 

અમરેલીના સાવરકુંડલામાં ટ્રેનની અડફેટે આવવાથી 24 ગાયોના મોત થયા છે. સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ પાસે રેલવે ફાટક નજીક રેલવે ટ્રેક પર મોટી સંખ્યામાં પશુઓ આવી ચડ્યા હતા. સામેથી મહુવા-સુરત પેસેન્જર ટ્રેનમાં પશુઓ કચડાઈ ગયા હતા.
 
 
 અમરેલીના સાવરકુંડલામાં ટ્રેનની અડફેટે આવવાથી 24 ગાયોના મોત થયા છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર