રણુના તુલજા ભવાની મંદિરે ભક્તોની ભીડ

મંગળવાર, 1 ઑક્ટોબર 2013 (19:03 IST)
પાદરામાં ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતાની સાથ જ માઈ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. પાદરાના સુપ્રસિદ્ધ રણુના તુલજા ભવાની મંદિરે સવારથી ભક્તો ઉમટી પડયા હતા. અનેક પદયાત્રીઓ પગપાળા માતાના દર્શનાર્થે આવી પહોંચ્યા હતા.


નવરાત્રીના આઠમના દિવસનું માતાજીના દર્શન પૂજનનું ખાસ મહાત્મય હોય છે જેમાં માતાજીના મંદિરોમાં નવચંડી, શતચંડી, ચંડીપાઠ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવે છે.

વેબદુનિયા પર વાંચો