ઘટસ્થાપનાનુ મુહુર્ત

W.D
અશ્વિન શુક્લ પક્ષના પ્રતિપદાથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. સંવત 2066 સન 2009 શારદીય નવરાત્રિ પર્વ શનિવારના રોજ સૂર્યોદયથી પ્રારંભ થશે. પંડિત અશોક પવારના મુજબ આ દિવસે શુભ ચોધડિયુ સવારે 7.44 થી 9.12 સુધી છે, ત્યારબાદ 4.28થી 5.32 સુધી લાભ અને અમૃત 5.32થી સાંજે 7.00 સુધી છે. મંદિરોમા ઘટ સ્થાપના કરવા માટે શુભ ચોઘડિયુ શ્રેષ્ઠ હોય છે. સામાન્ય લોકોએ લાભ અને અમૃતના ચોઘડિયામાં ઘટ સ્થાપના કરવી જોઈએ. . 27 સપ્ટેમ્બર 2009 રવિવારના રોજ મહાનવમી પર નવરાત્રિ પૂર્ણ થશે.

જ્યોતિર્વિદ ડો. રામકૃષ્ણ તિવારીના મુજબ ઘટસ્થાપનાનુ શુભ મૂહૂર્તનો સવારે 7.44 થી 9.17 સુધી છે. બપોરે 12.19થી 3.22 સુધી સાંજે 6.23 થી 7.54 સુધી છે.

વેબદુનિયા પર વાંચો