આ વર્ષે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ (જન્મષ્ટમી) 16 ઓગસ્ટની મધ્યરાત્રિએ મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર અને વૃંદાવનના ઠાકુર બાંકેબિહારી મંદિર સહિત તમામ મુખ્ય મંદિરોમાં અને નંદગાંવમાં 17 ઓગસ્ટની રાત્રે ઉજવવામાં આવશે. અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે તમામ મંદિરો સાથે જિલ્લા વહીવટીતંત્ર સ્તરે આ માટે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી રહી છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ (ડીએમ) ચંદ્રપ્રકાશ સિંહ અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) શ્લોક કુમારે જણાવ્યું હતું કે ગયા વર્ષે જન્માષ્ટમી નિમિત્તે 42 લાખ ભક્તો મથુરા પહોંચ્યા હતા, પરંતુ આ વર્ષે આ આંકડો 50 લાખને પાર કરી શકે છે તેવો અંદાજ છે. તેમણે કહ્યું કે મથુરા, વૃંદાવન, બરસાણા, ગોકુલ, નંદગાંવ, ગોવર્ધન, મહાવન વગેરે જેવા તમામ તીર્થસ્થળો પર તે મુજબ તૈયારીઓ કરવામાં આવી રહી છે અને ભક્તોની સલામતી અને સુરક્ષા માટે પણ મોટા પાયે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.