સંભલની શાહી જામા મસ્જિદ એકવાર ફરી ચર્ચામાં છે આ વખતે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ) દ્વારા મોકલવામાં આવેલ એક નવા સાઈનબોર્ડને કારણ જેમા મસ્જિદને તેના સામાન્ય નામને બદલે જુમા મસ્જિદ લખવામાં આવ્યુ છે. એએસઆઈન વકીલ વિષ્ણુ શર્માએ જણાવ્યુ કે નવુ બોર્ડ એએસઆઈના દસ્તાવેજોમાં નોંધાયેલ નામ જુમા મસ્જિદના મુજબ રજુ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સંભલની મુઘલ યુગની મસ્જિદ એક મોટા વિવાદનું કેન્દ્ર બની ગઈ છે, કારણ કે એક અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે એક પ્રાચીન હિન્દુ મંદિરનું સ્થળ છે. ગયા વર્ષે 24 નવેમ્બરના રોજ સંભલના કોટ ગરવી વિસ્તારમાં મસ્જિદ સર્વે દરમિયાન હિંસા ફાટી નીકળી હતી, જેમાં ચાર લોકોના મોત થયા હતા ત્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા.