ઠાણેની સરકારી હોસ્પિટલમાં હોબાળો, એક જ રાતમાં 17 દર્દીઓના મોત

રવિવાર, 13 ઑગસ્ટ 2023 (14:06 IST)
મુંબઈના થાણેની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં એક જ રાતમાં 17 દર્દીઓના મોતનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. આ પહેલા 10 ઓગસ્ટે પણ આ જ હોસ્પિટલમાં 5 દર્દીઓના મોત થયા હતા. જે બાદ આ અંગે ભારે હોબાળો થયો હતો. હવે 17 દર્દીઓના મોતને કારણે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાઈ શકે છે, કારણ કે એક સપ્તાહ દરમિયાન 22 દર્દીઓએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ છે.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં એક જ રાતમાં 17 દર્દીઓના મોતથી પરિવારજનો શોકમાં છે અને હોસ્પિટલ પ્રશાસન પર ઘોર બેદરકારીનો આરોપ લગાવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે જીવ ગુમાવનારાઓમાં 12 દર્દીઓને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે 2 દર્દીઓને જનરલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 2 દર્દી કેઝ્યુઅલી અને 1 પીડિયાટ્રીકમાં દાખલ થયો હતો.
 
એવું પણ જાણવા મળ્યું છે કે આ તમામ 17 દર્દીઓ શનિવારે રાત્રે 10.30 વાગ્યાથી રવિવારે સવારે 8.30 વાગ્યાની વચ્ચે મૃત્યુ પામ્યા હતા. આ પહેલા 10 ઓગસ્ટની રાત્રે પણ આ જ હોસ્પિટલમાં 5 દર્દીઓના મોત થયા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર