પુલવામાં હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ વધતો જઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર સતત વધતા દબાણ અને ભારતની જવાબી કાર્યવાહીના ભયથી પાકિસ્તાનએ પણ યુદ્ધને લઈને પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ગુરૂવારે નેશનલ સિક્યોરિટી કમિટી સાથે બેઠક કરી પાકિસ્તાની સેનાને ભારતની તરફથી થનારી હુમલાને લઈને તૈયાર રહેવાનુ કહ્યુ. પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ વધતો જઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર સતત વધતા દબાણ અને ભારતની જવાબી કાર્યવાહીના ભયથી પાકિસ્તાનએ પણ યુદ્ધને લઈને પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ગુરૂવારે નેશનલ સિક્યોરિટી કમિટી સાથે બેઠક કરી પાકિસ્તાની સેનાને ભારતની તરફથી થનારી હુમલાને લઈને તૈયાર રહેવાનુ કહ્યુ.
એલઓસી પાસે આવેલ ગામને સતર્ક રહેવાનુ કહ્યુ
પાકિસ્તાને ભારત સાથે જંગની તૈયારી શરૂ કરી દીધી છે. 21 ફ્બેબ્રુઆરીના રોજ પીઓકે સરરકારે એલઓસી સાથે લાગેલ નીલમ, ઝેલમ રાવલકોટ, હવેલી, કોટલી અને ભિંબરમાં આ એડવાઈઝરી રજુ કરવાનો નિર્દેશ આપ્યો છે તે ભારત તરફથી થનારા હુમલા માટે સતર્ક રહે.
બંકર બનાવવા અને LoC પાસેના રસ્તાઓ પર ન જવાનુ કહ્યુ...
પાકિસ્તાન સરકારે ભારત તરફથી થનારા હુમલાના ભયથી લોકોને સુરસિત સ્થાન પર જવા અને સમુહમાં ન રહેવાની સલાહ આપી. નોટિસ રજુ કરી પાક સરકારે લોકોને કહ્યુ છે કે તેઓ LoC ની પાસે કારણ વગર જાય નહી અને રાત્રે જરૂર હોય તો જ લાઈટ પ્રગટાવે. આ સાથે જ એલઓસીની પાસે રહેનારા લોકો તરત એક બંકરનુ નિર્માણ કરવા માટે કહ્યુ છે.
શુ ચીન કરશે પાકિસ્તાનની મદદ
ઉલ્લેખનીય છે કે પુલવામાંમાં સીઆરપીએફના કાફલા પર થયેલ આતંકી હુમલા પછી જૈશ એ મોહમ્મદના સરગના મૌલાના મસૂદ અજહરે નવો ઓડિયો રજુ કર્યો હતો. તેમા પુલવામાં હુમલામાં જૈશની સંલિપ્તતાથી ઈંકાર કરતા પાકિસ્તાન સરકારને કહ્યુ હતુ કે તેઓ ભારતથી ગભરાય નહી કારણ કે ચીન આપણી સાથે છે.