પહેલગામના ગુનેગારોને ધૂળમાં દફનાવી દેવામાં આવશે, તેમને કલ્પના કરતા પણ મોટી સજા મળશે", પીએમ મોદીએ મધુબનીમાં બરસ્યા
તેમણે કહ્યું, "આજે બિહારની ધરતીથી સમગ્ર દુનિયાને સંદેશ આપું છું કે ભારત દરેક આતંકીને ઓળખીને, શોધીને સજા આપશે અને તેને સમર્થન આપનારને પણ સજા આપશે. અમે તેમને દુનિયાના અંતિમ છેડા સુધી છોડીશું નહીં. આતંકવાદ ક્યારેય ભારતના આત્માને નહીં તોડી શકે."
તેમણે કહ્યું કે, "આતંકીઓએ નિર્દોષ દેશવાસીઓને જે રીતે બેરહેમીથી માર્યા છે તેનાથી આખો દેશ વ્યથિત છે. આ આતંકી હુમલામાં કોઈએ પોતાનો પુત્ર ગુમાવ્યો, કોઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો અને કોઈએ પોતાના જીવનસાથી ગુમાવ્યા છે. આખો દેશ પીડિતોની પડખે ઊભો છે."
તેમણે કહ્યું કે, "આ હુમલો માત્ર નિઃશસ્ત્ર પર્યટકો પર નથી થયો, દેશના દુશ્મનોએ ભારતના આત્મા પર હુમલો કરવાનું દુઃસાહસ કર્યું છે. હું સ્પષ્ટ રીતે કહું છું કે જેમણે આ હુમલો કર્યો છે તે આતંકીઓને તથા હુમલાનું ષડયંત્ર રચનારને તેમની કલ્પના કરતા મોટી સજા મળશે."