ત્રિપુરા, મેઘાલય, નાગાલેંડની ચૂંટણીની તારીખોનુ આજે થશે એલાન, આજે બપોરે 2.30 વાગે થશે પ્રેસ કૉન્ફ્રેંસ

બુધવાર, 18 જાન્યુઆરી 2023 (10:47 IST)
ભારતીય ચૂંટણી પંચ બુધવારે બપોરે 2:30 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ યોજવાનું છે. આ પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચ ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. ઉત્તર પૂર્વના આ 3 રાજ્યોમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ વખતે ત્રિપુરા વિધાનસભા ચૂંટણી પર લોકોની ખાસ નજર રહેશે કારણ કે છેલ્લી ચૂંટણીમાં ભાજપે લાંબા સમયથી સત્તામાં રહેલી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસવાદીને હટાવીને ચૂંટણી જીતી હતી.
 
ત્રિપુરામાં 2018મા બીજેપીએ નોંધાવી હતી મોટી જીત 
 પૂર્વોત્તરના ત્રણ રાજ્યોમાં ત્રિપુરા સૌથી મોટું રાજ્ય છે જ્યાં ચૂંટણી યોજાવાની છે. ત્રિપુરામાં ભાજપના નેતૃત્વમાં ગઠબંધન સરકાર છે. 2018 માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં, ભારતીય જનતા પાર્ટીએ એકલા હાથે બહુમતી મેળવી, અને બિપ્લબ કુમાર દેવના નેતૃત્વમાં સરકારની રચના કરી. બાદમાં 15 મે 2022ના રોજ ભાજપે માણિક સાહાને મુખ્યમંત્રીની ખુરશી પર બેસાડ્યા. ત્રિપુરામાં શાસક ગઠબંધનમાં ઈન્ડીજીનસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા (Indigenous People's Front of Tripura)અને બીજેપીનો સમાવેશ થાય છે. 
 
મેઘાલય અને નાગાલેન્ડમાં પણ સરકારમાં સામેલ છે BJP
ચૂંટણી પંચ આજે મેઘાલયમાં પણ ચૂંટણીની તારીખો જાહેર કરશે. 60 સભ્યોની મેઘાલય વિધાનસભામાં કોનરાડ સંગમાની આગેવાની હેઠળ નેશનલ પીપલ્સ પાર્ટીની ગઠબંધન સરકાર છે. આ ગઠબંધન સરકારમાં યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટી, પીપલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટ અને ભારતીય જનતા પાર્ટીનો સમાવેશ થાય છે. બીજી બાજુ, નાગાલેન્ડમાં, NDPP એ 2018ની વિધાનસભા ચૂંટણીમાં 60 માંથી 18 બેઠકો જીતી હતી, અને 12 બેઠકો જીતનાર ભાજપની મદદથી ગઠબંધન સરકાર બનાવી હતી. તે ચૂંટણીઓ પછી, NDPP નેતા નેફિયુ રિયો મુખ્ય પ્રધાન બન્યા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર