અમદાવાદમાં AMTS બસે અકસ્માત સર્જીને લીધો બેનો ભોગ
રક્ષાબંધનના દિવસે જ નહેરુબ્રિજ ચાર રસ્તાએ સાંજે એક પછી એક પાંચ વાહનો વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં બે યુવાનોના કરુણ મોત નિપજ્યા છે. તેમજ ચાર જણાને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. આશ્રમ રોડ પર એચકે કોલેજ બાજુથી વીએસ હોસ્પિટલ તરફના રોડે જઈ રહેલી એક આઈ-10 કારને નહેરુબ્રિજનો ઢાળ ઉતરી રહેલી એએમટીએસની બસે ટક્કર મારતા અકસ્માત થયો હતો.