આ પહેલા આજે આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય પરિષદની બેઠક પહેલા હંગામો, નારાબાજી અને આરોપ પ્રત્યારોપ શરૂ થઈ ગયો. મીટિંગ માટે ગયેલા યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત વિરુદ્ધ જોરદાર નારેબાજી થઈ. કેજરીવાલ સમર્થક પોસ્ટર બેનર લઈને ઉભા હતા અને નારાબાજી કરી રહ્યા હતા. જેમા લખ્યુ હતુ, ગદ્દારોને પાર્ટીમાંથી બહાર કરો. અહી સુધી કે યોગેન્દ્ર સાથે ધક્કામુક્કી કરવામાં આવે અને અપશબ્દ પણ કહેવામાં આવ્યા.
મીટિંગ દિલ્હીના કાપસહેડામાં થઈ રહી છે. રાષ્ટ્રીય પરિષદન કેટલાક સભ્યોને બેઠક માટે અંદર પણ ન જવા દેવામાં આવ્યા. જેના વિરોધમાં યોગેન્દ્દ્ર બહાર જ કેટલાક સમર્થકો સાથે ઘરણા પર બેસી ગયા. તેમની સાથે પ્રોફેસર આનંદ કુમાર પણ ધરણા પર બેસી ગયા. બીજી બાજુ પ્રશાંત ભૂષણ અને શાંતિ ભૂષણ બંને બેઠક માટે અંદર હાજર હતા. થોડીવાર પછી યોગેન્દ્રની ધરણા ખતમ કરવામાં આવી પણ ગેટ પર તેમની ચર્ચા થતી રહી. ત્યારબાદ યોગેન્દ્ર બેઠક માટે અંદર જતા રહ્યા.
યોગેન્દ્રએ કહ્યુ કે પાર્ટીમાં જે થઈ રહ્યુ છે તે ખૂબ નિરાશાજનક અને દુર્ભાગ્યપુર્ણ છે. સભ્યોને બેઠકમાં ભાગ નથી લેવા દેવાતો. હુ અહી ત્યા સુધી ઉભો રહીશ જ્યા સુધી અંતિમ સભ્યને મીટિંગ માટે પ્રવેશ નથી આપવામાં આવતો. મને આજે જ એડમિરલ રામદાસનો પત્ર મળ્યો છે. જેમા તેમણે કહ્યુ છેકે પાર્ટી મહાસચિવે તેમને બેઠકમાં ન આવવાનું કહ્યુ છે.