ઉતરપ્રદેશમાં આમ્બેડકર પાર્કોના નિર્માણ માટે બેકરાર માયાવતી સરકારની આશાઓ પર મંગળવારે પાણી ફરી ગયું. સરકાર દ્વારા દાખલ અરજીને ફગોવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પ્રદેશમાં વધુ પાર્કોના નિર્માણની મંજૂરી ન આપી શકાય.
ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાં પાર્કોમાં મૂર્તિ નિર્માણને લઈને સુપ્રીમ કોર્ટ માયાવતી સરકારને અગાઉના દિવસોમાં કેટલીયે વખત ફટકાર લગાવી ચૂકી છે. આ મામલામાં સરકારને કોર્ટની અવમાનની દોષી પણ ઠેરાવવામાં આવી હતી ત્યાર બાદ ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવને નોટિસ સુધી જારી કરવામાં આવી હતી.