ભારત સરકારે ભાજપાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી. બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન .. શ્રી શ્રી રવિશંકર અને યોગ ગુરૂ બાબા રામદેવને પદ્મ વિભૂષણ આપવાની જાહેરાત કરી છે. એક અંગ્રેજી છાપા મુજબ ભાજપાના નિકટના કહેવાતા રામદેવ. રામદેવ અને આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિ શંકરને ગણતંત્ર દિવસના અવસર પર પદ્મ સન્માન આપી શકાય છે.
સાથે જ રજનીકાંત અને પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલને પણ સરકાર પદ્મ પુરસ્કારથી સન્માનિત કરી શકે છે. છાપા મુજબ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ 148 લોકોની યાદીમાં રાજનીતિના ક્ષેત્રથી અડવાણી અને બાદલ જ માત્ર બે વ્યક્તિ છે. આ ઉપરાંત અભિનેતા દિલીપ કુમાર. ફિલ્મકાર સંજય લીલા ભંસાલી. એડ ગુરૂ પ્રસુન જોશી. સ્ક્રિપ્ટ રાઈટર સલીમ ખાનનુ નામ પણ આ લિસ્ટમાં છે.