અફઘાનિસ્તાનમાં શીતલહેર : ઠંડીથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 104 થઈ

રવિવાર, 22 જાન્યુઆરી 2023 (11:17 IST)
અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી શીતલહેરમાં ઠંડીને કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 104 થઈ છે.
 
તાલિબાન સરકારે કહ્યું કે દેશના અલગ અલગ પ્રાંતોમાં ઠંડીને કારણે મૃત્યુ થવાના સમાચારો મળી રહ્યા છે. લોકોએ આર્થિક નુકસાન પણ સહન કરવું પડી રહ્યું છે.
 
સરકારે કહ્યું કે શીતલહેરને કારણે લગભગ 70 હજાર પશુઓના પણ મૃત્યુ થયા છે.
 
આ ઘટનાઓ અગાઉ તાલિબાન સરકારને આવી સ્થિતિ સર્જાવાનો અંદાજ હતો કે નહીં અને લોકોની મદદ માટે શું કરવામાં આવી રહ્યું છે?
 
આ પ્રશ્નના જવાબમાં તાલિબાનના પ્રવક્તાએ કહ્યું કે સરકારી એજન્સીઓની મદદથી તેમણે એક મહિનામાં લગભગ 40 હજાર પરિવારોને ભોજન સામગ્રી પૂરી પાડી છે અને વધુ મદદ ચાલુ છે.
 
સંયુક્ત રાષ્ટ્રે પણ અફઘાનિસ્તાનમાં કડકડતી ઠંડીને કારણે સર્જાયેલા માનવીય સંકટ બાબતે ચિંતા જાહેર કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર