બૅંગ્કોકની એક હૉટલમાંથી છ મૃતદેહો મળ્યા, શું છે સમગ્ર મામલો?

બુધવાર, 17 જુલાઈ 2024 (10:33 IST)
થાઇલૅન્ડના પાટનગર બૅંગ્કોકની એક આલીશાન હૉટલનાં એક રૂમમાં વિયતનામના છ લોકોનાં મૃતદેહો મળી આવ્યા છે.
 
સરકારે આપેલી માહિતી પ્રમાણે આ મૃતકોમાં કેટલાક વિયતનામી-અમેરિકન હતા. સ્થાનિક મીડિયાના શરૂઆતી અહેવાલોમાં કહેવામાં આવ્યું હયું કે ફાઇવ સ્ટાર હૉટલ ગ્રાન્ડ હયાત ઇરાવન બૅંગ્કોકમાં ગોળીબાર થયો હતો. જોકે, પોલીસે આ અહેવાલોને નકાર્યા હતા અને કહ્યું કે ગોળીબારના કોઈ પુરાવા મળ્યા નથી.
 
પોલીસનું કહેવું છે કે બની શકે કે આ લોકોને ઝેર આપવામા આવ્યું હોય. જોકે, આ વાતની પણ કોઈ પુષ્ટિ હજી થઈ શકી નથી.
 
થાઇલૅન્ડના વડા પ્રધાન શ્રેથા થાવિસિને પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને ઘટનાની તપાસ અંગે આદેશ આપ્યા હતા.
 
વડા પ્રધાને કહ્યું કે હું નથી ઇચ્છતો કે આ ઘટનાને કારણે દેશની છબી પર અસર પડે અને પ્રવાસીઓ પર કોઈ અસર થાય.
 
તેમણે કહ્યું કે પોલીસને શંકા છે કે મૃતકોનાં મૃત્યુને 24 કલાક થઈ ગયાં હતાં. મૃતકોએ શું ખાધું હતું તે જાણવા માટે પોસ્ટમૉર્ટમ કરવામાં આવશે.
 
આ પહેલાં થાઈ પબ્લિક બ્રૉડકાસ્ટિંગ સર્વિસે પોલીસના હવાલેથી કહ્યું હતું કે ત્રણ મહિલા અને ત્રણ પુરૂષોનાં મૃત્યું થયાં હતાં.
 
પોલીસ મેજર જનરલ થિરાડેક થમસુથીએ થાઈ પબ્લિક બ્રૉડકાસ્ટિંગ સર્વિસને જણાવ્યું હતું કે પીડિતોને ઝેર આપવામાં આવ્યું હતું.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર