અર્થાત્ કપૂરની જેમ ગૌર વર્ણવાળા, કરુણાનો અવતાર, સંસારનો સાર છે. જે ગળામાં ભુજંગનો હાર ધારણ કરે છે. તે ભગવાન શિવ અને માઁ ભવાનીને મારા સાક્ષાત્ નમન છે, જેઓ હંમેશા મારા હ્રદયમાં રહે. આ મંત્રમાં ભગવાન શિવની સ્તુતિ કરવામાં આવી છે. કહેવામાં આવે છે કે, ભગવાન વિષ્ણુએ શિવજીની પ્રશંસામાં આ મંત્રનું ઉચ્ચારણ કર્યું હતું.