એવી માન્યતા છે કે ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરી સાગર મંથનથી પ્રકટ થયા હતા. ભગવાનના હાથમાં અમૃત ભરેલો સુવણ કળશ હતો. ભગવાન ધનવંતરીને દેવી લક્ષ્મીનો ભાઈ માનવામાં આવે છે. તેથી ધનતેરસના દિવસે સોનુ ચાંદી અને વાસણો ખરીદવાની પરંપરા છે. કહેવાય છે કે આ દિવસે ખરીદી કરવાથી ધન તેર ગણુ વધે છે. તેથી તમે ખરીદી કરવા જઈ રહ્યા છો તો શુભ મુહુર્તનુ જરૂર ધ્યાન રાખો જેથી તમારી ધનતેરસ 13 ગણો વધારો કરનારી રહે.