દેશમાં કોરોનાની રફતાર ધીમી પડી - એક દિવસમા અઢી લાખ કેસ, રિકવરી તેનાથી વધારે

મંગળવાર, 25 જાન્યુઆરી 2022 (10:49 IST)
દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર હવે ધીમી થઈ રહી છે મંગળવારે ગયા એક દિવસમાં કોરોનાના કુળ 2.55 લાખ નવા કેસ નોંધાયા છે. ઘણા દિવસો પછી આવુ થયુ જ્યારે નવા કેસની સંખ્યા 3 લાખ થી ઓછી નોંધાઈ. આટલુ જ નહી રિકવર થનારાઓની સંખ્યા  નવા કેસ કરતા વધારે છે. એક બાજુ 24 કલાકમાં 2,55,874 નવા કેસ મળ્યા છે. તેમજ બીજી બાજુ  2,67,753 લો કો તેનાથી રિકવર થયા છે. તેના કારણે કોરોનાના કુળ એક્ટિવ કેસમાં પણ કમી આવી છે. ગયા એક મહીના પછી આવુ થયુ છે જ્યારે એક્ટિવ કેસમાં વધારાની જગ્યા કમી નોંધાઈ છે. 
/div>

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર