Chandrayaan-3: ચંદ્રયાન-3 ઇતિહાસ રચવાની નજીક, વિક્રમ લેન્ડર અલગ થવા તૈયાર

ગુરુવાર, 17 ઑગસ્ટ 2023 (10:48 IST)
ઈસરોએ ચંદ્રયાન-3ને ચંદ્રની ચોથી કક્ષામાં પહોંચાડી દીધું છે. હવે ચંદ્રયાન લગભગ 150 કિમી x 177 કિમીની ગોળાકાર ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે. ઈસરોએ 14 ઓગસ્ટની સવારે લગભગ પોણા બાર વાગ્યે ચંદ્રયાન-3ના થ્રસ્ટર્સ ચાલુ કર્યા હતા. લગભગ 18 મિનિટ સુધી એન્જિન ચાલુ કરાયા હતા.

Chandrayaan-3 Mission:
Even closer to the moon’s surface.

Chandrayaan-3's orbit is reduced to 174 km x 1437 km following a manuevre performed today. 

The next operation is scheduled for August 14, 2023, between 11:30 and 12:30 Hrs. IST pic.twitter.com/Nx7IXApU44

— ISRO (@isro) August 9, 2023


ISRO દ્વારા કહેવામાં આવ્યું હતું કે લેન્ડર 17 ઓગસ્ટની સવારે અલગ થઈ જશે. જે બાદ હવે પ્રોપલ્શન મોડ્યુલ અને વિક્રમ લેન્ડર અલગ થવા માટે તૈયાર છે. એટલે કે હવે ચંદ્ર પર ભારતના ચંદ્રયાન-3નું ઉતરાણ થોડા જ દિવસો દૂર છે.
આ સમગ્ર પ્રક્રિયા ઘણી વખત પુનરાવર્તિત થાય છે. આ તમામ તબક્કામાં, જરૂરી પ્રક્રિયાને નિયંત્રિત કરવા અને યોગ્ય ઉતરાણ કરવાનો પ્રયાસ કરવા માટે વિવિધ અલ્ગોરિધમ્સ મૂકવામાં આવે છે. જો લેન્ડર 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરે છે, તો તે ભારત માટે મોટી સફળતા હશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર