રામાયણના સુમંત "ચંદ્રશેખરનો નિધન" બૉલીવુડની ઘણી મોટી ફિલ્મોમાં કર્યુ હતુ કામ

બુધવાર, 16 જૂન 2021 (13:05 IST)
રામાયણમાં આર્ય સુમંત રોલ કરતા એક્ટર ચંદ્રશેખરનો 97 વર્ષની ઉમ્રમાં નિધન થઈ ગયો. ગુરૂવારે સવારે 7 વાગ્યે તેને આખરી શ્વાસ લીધી.  ચંદ્રશેખરએ બૉલીવુડની ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યુ હતું. તેને 
હેલ્થની સંકળાયેલી કોઈ સમસ્યા ન હતી. રિપોર્ટસ મુજબ આજે 16 જૂન સાંજે 4 વાગ્યે તેમનો અંતિમ સંસ્ક્કાર કરાશે. 
 
ગયા અઠવાડિયે ગયા હતા હૉસ્પીટલ 
ચંદ્રશેખર બૉલીવુડની 250 થી વધારે ફિલ્મોમાં કામ કર્યા છે. તે 1964માં આવી ફિલ્મ "ચા ચા ચા" અને સ્ટ્રીટ સિંગર 1998ના પ્રોડ્યુસર અને ડાયરેક્ટર પણ રહ્યા છે. Etimes ની રિપોર્ટ મુજબ તેમના દીકરા અશોકને જણાવ્યુ કે તેમના પિતાનો નિધન સૂતા સમયે થયું. તેને સ્વાસ્થયથી સંકળાયેલી કોઈ પરેશાની ન હતી. ગયા ગુરૂવારે તેણે 1 દિવસ માટે હૉસ્પીટલ લઈ ગયા હતા. 
 
આરમથી છોડી દુનિયા 
અશોકએ જણાવ્યુ કે તેને ઘર પરત લઈ આવ્યા હતા અને જરૂર પડતા પર ઑક્સીજન વગેરેની વ્યવસ્થા પણ હતી. ગઈ રાત્રે તે ઠીક હતા. તેણે આરામથી દુનિયા છોડી. સાંજે 4 વાગ્યે વિલે પાર્લેના ઓઅવન હંસમાં 
તેમનો અંતિમ સંસ્કાર કરાશે. 
 
બૉલીવુડના ઓળખાતું ચેહરો 
ફિલ્મ સુરંગ ચંદ્રશેખરની હીરો ફિલ્મ કરી હતી. તે સિવાય બારાદરી કાળી ટોપી લાલ રૂમાલ સ્ટ્રીટ સિંગરમાં તે લીડ રોલમાં નજર આવ્યા. તે સિવાય તે નમક હલાલ, ડિસ્કો ડાંસર, શરાબી, હુકુમત, અનપઢ, સાજન બિના સુહાગન, સંસાર જેવી ઘણી ફિલ્મોમાં કેરેક્ટર રોલમાં નજર આવ્યા. 65 વર્ષની ઉમ્રમાં તે રામાયણમાં આર્ય સુમંતના રોલમાં નજર આવ્યા હતા. 78 વર્ષની ઉમ્રના ડર પછી ઈંડસ્ટ્રીથી રિટાયર થઈ ગયા. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર