Aryan Khan: આર્યન ખાન જેલમાંથી આવ્યા બહાર, રેંજ રોવર ગાડીની પાછળની સીટ પર બેસ્યા અને 'મન્નત' તરફ રવાના

શનિવાર, 30 ઑક્ટોબર 2021 (11:15 IST)
શાહરૂખ ખાન(Shahrukh khan)નો પુત્ર આર્યન ખાન(Aryan Khan) જેલમાંથી બહાર આવ્યો છે. શાહરૂખ ખાનની સફેદ કાર રેન્જ રોવરની પાછળની સીટ પર બેસીને તે તેના ઘર મન્નત જવા નીકળ્યો હતો, શાહરૂખ ખાનના અંગત અંગરક્ષક રવિ સિંહ અને બાઉન્સર આર્યન ખાનને જેલમાંથી બહાર લાવવા અંદર ગયા હતા. આર્યન ખાનને લેવા માટે શાહરૂખ ખાનનું રેન્જ રોવર વાહન આર્થર રોડ જેલની એકદમ નજીક પાર્ક કરવામાં આવ્યું હતું. આ રેંજ રોવર વાહનની પાછળની સીટ પર આર્યન ખાનને બેસવા માટે સીટ ખાલી રાખવામાં આવી હતી. કાળા કાચના કારણે આ રેન્જ રોવર વાહનની પાછળની સીટ પર શાહરૂખ ખાન કે ગૌરી ખાન બેઠા છે કે નહીં તે કહી શકાય નહીં.

આર્યન ખાન નહી જઈ શકે વિદેશ, ઘરમાં રહેવુ પડશે કેદ કારણ કે આ 14 શરતો પર મળ્યા છે જામીન 
 
અભિનેતા શાહરૂખ ખાન, તેનો પુત્ર આર્યન, આર્યનનો મિત્ર અરબાઝ મર્ચન્ટ અને મોડલ મુનમુન ધામેચા શનિવારે જેલમાંથી બહાર આવશે. આ તમામની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા 3 ઓક્ટોબરે કુઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્રણેય સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

 
સૂત્રોના જણાવ્યા મુજબ, અભિનેતા શાહરૂખ ખાન તેના બંગલા મન્નતથી આર્થર રોડ જેલ જવા માટે રવાના થઈ ગયો છે. આર્યન ગમે ત્યારે છૂટી શકે છે.

જામીનની 14 શરતો
 
બોમ્બે હાઈકોર્ટે 14 જામીન શરતો સાથે પાંચ પાનાનો જામીનનો આદેશ રજુ કર્યો છે.  જેમા પાસપોર્ટ સરેન્ડર કરવા, સાક્ષીઓને પ્રભાવિત કરવા કે સહ-આરોપીનો સંપર્ક કરવા અને દર અઠવાડિયે NCB ઓફિસમાં હાજર થવાની શરતો છે.

 
કોર્ટે જામીન માટે એક કે બે જામીન સાથે રૂ. 1 લાખના બોન્ડ નક્કી કર્યા છે. આ સાથે કહેવામાં આવ્યું છે કે તેઓ આવતા અઠવાડિયે કારણો સાથે વિગતવાર આદેશ જારી કરશે. અભિનેત્રી જુહી ચાવલા એડવોકેટ સતીશ માનશિંદે સાથે સ્પેશિયલ NDPM કોર્ટમાં આર્યન માટે જામીન તરીકે હાજર થયા હતા. મર્ચન્ટ અને ધામેચા માટે કોઈ જામીન મળ્યા નથી.

આર્યન આજે જેલમાંથી બહાર આવશે
 
મુંબઈ સેશન્સ કોર્ટની બહાર જુહી ચાવલાએ કહ્યું કે હું ખુશ છું કે આ બધું પૂરું થઈ ગયું છે અને આર્યન જલ્દી ઘરે આવશે. પરંતુ આર્યન શુક્રવારે જામીનનો હુકમ જેલમાં પહોંચવામાં મોડો થયો હતો. આર્થર રોડ જેલના સુપરિન્ટેન્ડેન્ટ નીતિન વ્યાચલે જણાવ્યું કે જેલના નિયમો અનુસાર પ્રક્રિયા એવી છે કે સાંજે 5.30 વાગ્યા સુધીમાં દસ્તાવેજીકરણ પૂર્ણ કરી લેવા જોઈએ. યોગ્ય પ્રક્રિયા બાદ આર્યનને આજે એટલે કે શનિવારે જેલમાંથી મુક્ત કરવામાં આવશે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર