રોજ સવારે ઉઠીને કરો આ 5 કામ મળશે ધન અને પ્રસિદ્ધી

શુક્રવાર, 26 ફેબ્રુઆરી 2021 (19:23 IST)
રોજ સવારે ઉઠીને ઈશ્વરની આરાધના કરવી જોઈએ. જ્યોતિષ મુજબ તે સિવાય એવા કામ છે જેને કરવાથી જીવનમાં ઘણી સમસ્યાઓથી બચી શકાય છે. 
 
જ્યોતિષશાસ્ત્ર મુજબ રોજ સવારે ઉઠીને  કરાતા આ ઉપાય જીવનમાં દરેક કામમાં સફળતા અપાવે છે સાથે જ ધનથી સંકળાયેલી મુશ્કેલીઓ પણ દૂર થઈ જાય છે. આજે અમે તમને તે સાથ સંકળાયેલી વાત જણાવીશ. 
 
રોજ સવારે ઉઠીને પહેલા કોગળા કર્યા પછી સૌથી પહેલા મધ ચાટવું જોઈએ. કહેવાય છે કે ત્યારબાદ જ નહાવું જોઈએ. ત્યારબાદ સૂર્ય ભગવાનની પૂજા કરવી જોઈએ. 
 
*સવારે જ્યારે પણ ભોજન કરતા. પહેલા ઈશ્વરને હાથ જોડીને ધન્યવાદ કરો. ત્યારબાદ ભોજનના ત્રણ ટુકડા ગાય, પંખીઓ અને કૂતરાના નામના કાઢીને જ ભોજન કરો. આ ટુકડાને તેણે ખાવા માટે નાખો. 
 
*રવિવાર છોડીને  રોજ સવારે પીપળાના ઝાડને જળ ચઢાવવું જોઈએ. ઘરમાં ધંધામાં કોઈ પણ નવું કામ કરતા પહેલા ભગવાન ગણેશના નામ જરૂર લેવું. 
 
*મંગળવારના દિવસે હનુમાનજીની ફોટા કે મૂર્તિ સામે પંચમુખી દીવો પ્રગટાવું જોઈએ. 
 
*જો કોઈ મહત્વપૂર્ણ કાર્ય કે ધંધાથી સંકળાયેલી કોઈ ડીલ કરવા જઈ રહ્યા છો તો સૌથી પહેલા થોડા પૈસા ભગવાન સામે કાઢીને રાખવા જોઈએ. કામ પૂરા થયા પછી તે પૈસા કોઈ જરૂરિયાત માણસને આપવા જોઈએ. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર