Gayatri Mantra For Student: ગાયત્રી મંત્રમાં છુપાયેલો છે સફળતાનો રાજ, દરરોજ આ રીતે કરવુ જાપ, અભ્યાસમાં રૂચિ વધશે

રવિવાર, 3 જુલાઈ 2022 (11:53 IST)
Chant Gayatri Mantra: હિંદુ ધર્મમાં દરેક દેવી દેવતા માટે જુદા જુદા મંત્ર વિશે જણાવ્યુ છે . મંત્ર જપનો વ્યક્તિના જીવન પર ખાસ અસર પડે છે. દરેક મંત્ર તેમનો મહત્વ છે. ખાસ મનોકામના પૂર્તિ માટે દેવી-દેવતાઓના મંત્રનો જપ કરાય છે. તેમાંથી એક છે ગાયત્રી મંત્ર. ગાયત્રી મંત્રને ખૂબ જ શક્તિશાળી અને પ્રભાવશાળી માનવામાં આવ્યુ છે. તેનાથી જ્યાં મનને શાંતિ મળે ચે તેમજ વ્યક્તિનો તનાવ પણ દૂર હોય છે.  ગાયત્રી મંત્રનો જપ વિદ્યાર્થીઓ અને નાના બાળકોને જરૂર કરવુ જોઈએ. જો ખાસ વિધિથી કરાય તો બાળકોના મનમાં એકાગ્રતા અને જ્ઞાનમાં વૃદ્ધિ હોય છે. 

 
ૐ ભુર્ભુવસ્વઃ તત્સ વિતુર વરેનિયમ
ભર્ગોદેવસ્ય ઘી મહી ધિયો યો નઃ પ્રચોદયાત ॥
 
ગાયત્રી મંત્ર માટે યોગ્ય સમય 
ગાયત્રી મંત્રને ચાર વેદોનો મુખ્ય સાર માનવામાં આવે છે. ગાયત્રી મંત્રનો જાપ વિદ્યાર્થીઓ માટે વિશેષ ફાયદાકારક કહેવાય છે. વિદ્યાર્થીઓ માટે સવાર આ મંત્રનો જાપ સૂર્યોદય પહેલા થોડો કરવો જોઈએ. બપોરના સમયે પણ ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે. યાદશક્તિ મજબૂત કરવા ગાયત્રી મંત્રનો નિયમિત જાપ કરવામાં આવે છે.

ગાયત્રી મંત્રનો અર્થ

રોજ એક માળાનો જાપ કરો
 
ગાયત્રી મંત્રનો નિયમિત જાપ કરવાથી દરેકને ફાયદો થાય છે. વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછી એક માળાનો નિયમિત જાપ કરવો જોઈએ. તેનો જાપ જેના કારણે વ્યક્તિને શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળે છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વિદ્યાર્થી બેગમાં ગાયત્રી મંત્રનો ફોટો રાખે તો વિશેષ લાભ થાય છે. ગાયત્રી મંત્રનો જાપ કરતી  વ્યક્તિને જીવનમાં સફળતા મળે છે અને જીવનમાં ઘણી પ્રગતિ થાય છે.

ૐ (પરમાત્મા) ભૂ: (પ્રાણ સ્વરૂપ) ભુવ: (દુ:ખનાશક) સ્વ: (સુખ સ્વરૂપ) તત (તે) સવિતુ: (તેજસ્વી) વરેણ્યં (શ્રેષ્ઠ) ભર્ગો: (પાપ નાશક) દેવસ્ય (દિવ્ય) ધીમહી (ધારણ કરો) ધિયો (બુધ્ધિ) યો (જો) ન: (અમારી) પ્રચોદયાત (પ્રેરિત કરો).

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર