Gauri Vrat 2022:ગૌરીવ્રત ક્યારે છે, શુભ તિથિ અને મુહુર્ત

મંગળવાર, 5 જુલાઈ 2022 (14:25 IST)
Gauri Vrat 2022: ગૌરીવ્રતનુ હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. ગૌરી વ્રત બુધવાર 9 જુલાઈ 2022 થી શરૂ થશે. 12 જુલાઈએ જયા-પાર્વતી વ્રતનો પ્રારંભ થશે 
 
ગૌરીવ્રત બાળકીઓ સારા વરની પ્રાપ્તિ માટે કરે છે. સાથો સાથ વ્રત કરવાથી વિદ્યાભ્યાસમાં પણ લાભ થાય છે. શાસ્ત્રો અનુસાર વ્રત દેવી-દેવતાઓના કાળથી ચાલતું આવ્યું છે. ગૌરી વ્રતની પૂર્ણાહુતિ અષાઢ સુદ પૂનમના દિવસે અને જયા-પાર્વતી વ્રતની પૂર્ણાહુતિ અષાઢ વદ બીજના દિવસે થશે
 
ગૌરીવ્રત દેવી પાર્વતીને સમર્પિત હોય છે. આ દિવસે અવિવાહિત યુવતીઓ સારા પતિની કામના માટે વ્રત કરે છે. આ મુખ્ય રૂપે ગુજરાતના લોકો દ્વારા ઉજવાય છે. 
 
ગૌરીવ્રત મોરકત વ્રતના નામથી પણ ઓળખાય છે. આ વ્રતને અષાઢ મહિનામાં 5 દિવસથી વધુ સમય સુધી ઉજવાય છે. ગૌરી વ્રત શુક્લ પક્ષની એકાદશી તિથિથી શરૂ થાય છે અને પાંચ દિવસ પછી ગુરૂ પૂર્ણિમાના દિવસે સમાપ્ત થાય છે. 
 
Jaya parvati Vrat 2022- જયા પાર્વતી વ્રત - 
 
Gauri Vrat 2022 દિવસ અને સમય 
ગૌરી વ્રત/ જયા પાર્વતી વ્રત તારીખ - 9 જુલાઈ 2022
ગૌરી વ્રત સમાપ્ત - 13 જુલાઈ 2022


ગૌરી વ્રત પ્રારંભ, ભદ્રા, વિંછુડો, સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ, આડલ યોગ, વિડાલ યોગ
 
એકાદશી તિથિની શરૂઆત સવારે - 04:39  જુલાઈ 09, 2022
એકાદશી તિથિ સમાપ્ત થાય છે રાત્રે - 02:13  જુલાઈ 10, 2022
 
યોગ સિદ્ધ 06:49 એ એમ સુધી કરણ ગર 04:39 પી એમ સુધી
સાધ્ય 04:03 એ એમ, જુલાઇ 10 સુધી વણિજ 03:31 એ એમ, જુલાઇ 10 સુધી
 
ગૌરીવ્રતનુ મહત્વ
આ તહેવાર શુક્લ પક્ષની અગિયારસથી શરૂ થાય છે અને પાંચ દિવસ કે પૂર્ણિમા પછી સમાપ્ત થાય છે. તેને ભારતના અનેક ભાગમાં મોરકત વ્રત પણ કહે છે.
કારણ કે આ તહેવારમાં મીઠુ નથી ખાવામાં આવતુ અને 5 દિવસ મોઢુ મોળુ રાખવુ પડે છે. આ તહેવાર અમદાવાદમાં અગિયારસથી શરૂ થાય છે અને પૂનમના દિવસે સમાપ્ત થાય છે. જ્યારે કે વડોદરામાં આ તહેવાર તેરસથી શરૂ થાય છે. બીજના દિવસે સમાપ્ત થાય છે. યુવતીઓ પોતાના પરિવાર માટે આ વ્રત કરે છે. આ વ્રત દેવી પાર્વતીને સમર્પિત હોય છે.
 
હિન્દુ કેલેંડર મુજબ આ વ્રત અષાઢ મહિનામાં ઉજવાય છે. અષાઢ એકાદશી (દેવ શયની એકાદશી)થી ગુરૂ પૂર્ણિમા (જેને અષાઢ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે) સુધી આ પાંચ દિવસ ભારતના પશ્ચિમ ભાગમાં વિશેષ રૂપતી ગુજરાતમાં પંચક કે ગૌરી પંચકના રૂપમાં ઉજવાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર