આ ગામનુ નામ છે સૌમ્યપુર, સૌરિપુર, ગન્ધર્વપુર, શૈલગામ, ક્રૌચપુર, વિચિત્ર ભવન, બહવાપદપુર, દુ:ખપુર, નાનાક્રન્દપુર, સુતપ્તભવન, રૌદ્રપુર, પયોવર્ષણપુર, શીતાઢ્યપુર અને બહુભીતિપુર.
- આ માર્ગમાં એક અસિપત્રનુ નામ વન છે. આ વનમાં કાગડો, ઘુવડ, ગીધ, મધુમાખી, મચ્છર અને અનેક સ્થાને જંગલની આગ છે. આ બધાથી મુક્તિ મેળવતા પ્રેતઆત્મા ક્યારેય મળ-મૂત્ર અને રક્તના કીચડમાં પડે છે તો ક્યારેક અંધારા કૂવામાં પડીને છટપટે છે.