સત્ય સાંઈ બાબાની હાલત સ્થિર

બુધવાર, 6 એપ્રિલ 2011 (11:30 IST)
P.R
ફેફસા અને છાતીમાં તકલીફને કારણે હોસ્પિટલામં દાખલ કરવામાં આવેલ સત્ય સાંઈ બાબાની હાલતમા સુધારો થઈ રહ્યો ચ હે. પરંતુ તેમને સતત વેંટિલેટર પ્રણાલી પર મુકવામાં આવ્યા છે.

સત્ય સાંઈ ઈંસ્ટીટ્યુટ ઓફ હાયર મેડિકલ સાઈસેજના નિદેશક એએન સૈફયા દ્વારા બુધવારે સવારે રજૂ કરવામાં આવેલ મેડિકલ બુલેટિનમાં કહેવામાં આવ્યુ છે કે સત્ય સાંઈ બાબાની હાલત મંગળવારેની જેમ સ્થિર છે. તેમના કિડનીની કાર્યપ્રણાલીમાં સુધારો થવાના સંકેત છે.

બુલેટિનમાં કહેવામાં આવ્યુ કે શ્વસન પ્રણાલીમાં મદદ માટે તેમને સતત વેંટિલેટર પર મુકવામાં આવી રહ્યા છે. બીપી અને અન્ય સ્વાસ્થ્ય માનક સંતોષજનક છે. તેમનો ઈલાજ કરી રહેલ ડોક્ટરોની ટીમ તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે.

વેબદુનિયા પર વાંચો