રાણીની વાવ' યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં થાય તેવી શક્યતા

પાટણ સ્થિત પ્રસિદ્ધ ‘રાણીની વાવ'ને યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરવામાં આવી શકે છે. કેન્દ્ર સરકારે રાણીની વાવનો પ્રસ્તાયવ વિશ્વ ધરોહર કેન્દ્રં(ડબ્યૂકરવ એચસી)ને સોંપી દીધો છે. કેન્દ્રી ય સંસ્કૃ્તિ મંત્રી ચંદ્રેશ કુમારી કટોચે મંગળવારે લોકસભામાં આ જાણકારી આપી હતી.
P.R

કેન્દ્રતએ વિશ્વ ધરોહર કેન્દ્ર ના પ્રાકૃતિક સંવર્ગમાં પાટણની વાવ ઉપરાંત અસમના માજૂલી દ્વીપ, હૈદરાબાદના કુતબ શાહી સ્મા્રક તથા હિમાચલ પ્રદેશના ગ્રેટ હિમાલયન રાષ્ટ્રીય પાર્કનો પ્રસ્તાવ પણ મોકલ્યો છે.

વિશ્વ ધરોહર યાદીમાં અત્યાતર સુધી રાજ્ય્ના એક માત્ર પંચમહાલ જીલ્લામાં ચાંપાનેર-પાવાગઢ કિલ્લો સામેલ છે. જેને વર્ષ ૨૦૦૪માં સામેલ કરવામાં આવ્યો છે.
P.R

પાટણને પહેલા અન્હિંલપુરના નામથી ઓળખવામાં આવતું હતું. જે ગુજરાતની પૂર્વ રાજધાની હતી. જણાવાઇ છે કે, રાણીની વાવ વર્ષ ૧૦૬૩માં સોલંકી શાસનના રાજા ભીમદેવ પ્રથમની યાદમાં તેની પત્ની રાણી ઉદ્દયામતિએ બનાવડાવી હતી. આ વાવ ૬૪ મીટર લાંબી, ૨૦ મીટર પહોળી અને ૨૭ મીટર ઉંડી છે. ભારતમાં આ પ્રકારની આ એક અનોખી વાવ છે. આ વાવમા એક નાનો દરવાજો છે. જ્યાં ૩૦ કિમી લાંબું બોગદું પણ છે. જે પાટણના સિદ્ધપુર શહેરમાં નીકળે છે. રાજાનો પરાજય થાય ત્યાંરે આ બોગદાનો ભાગવા માટે ઉપયોગ કરાતો હતો.

વેબદુનિયા પર વાંચો