માઓવાદી હિંસામાં 73 પોલીસકર્મીનાં મોત

વાર્તા

મંગળવાર, 9 ડિસેમ્બર 2008 (10:21 IST)
ઓરીસ્સાનાં મુખ્યમંત્રી નવીન પટનાયકે વિધાનસભામાં જણાવ્યું હતું કે એક વર્ષમાં થયેલી માઓવાદી ઘટનાઓમાં 73 પોલીસ કર્મચારીઓનાં મોત થયા છે.

કોંગ્રેસનાં સીતાકાંતા મૌહાપાત્રાનાં પ્રશ્નનાં જવાબમાં પટનાયકે જણાવ્યું હતું કે આ મહિને 25 તારીખ સુધીમાં રાજ્યમાં માઓવાદી હિંસામાં 73 પોલીસ કર્મચારીઓનાં મોત થયાં છે. જેમાંથી 36 આંધ્રપ્રદેશનાં હતાં. જ્યારે બાકીનાં ઓરીસ્સાનાં હતાં. એટલે કે માઓવાદી હિંસામાં ઓરીસ્સાનાં 42 ટકા પોલીસ કર્મચારીઓ ભોગ બન્યા હતાં.

વેબદુનિયા પર વાંચો