પાટીદાર સ્વાભિમાન યાત્રા પહેલાં રેશ્મા પટેલ સહિતના આગેવાનોની અટકાયત કરાઈ

બુધવાર, 21 સપ્ટેમ્બર 2016 (16:15 IST)
પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)એ પોતાની માગણીઓને બુલંદ બનાવવા માટે આજે વિજાપુરથી ગાંધીનગરની પાટીદાર સ્વાભિમાન યાત્રા કાઢવાનો નિર્ણય લીધો હતો. જોકે, આ પાટીદાર સ્વાભિમાન પદયાત્રાનો ફિયાસ્કો થી ગયો છે. પદયાત્રામાં ભાગ લેવા જઈ રહેલા પાસના કન્વીનર રેશ્મા પટેલ, વરુણ પટેલ, અતુલ પટેલ, ગીતા પટેલ સહિતના પાસના કન્વીનરોની અટકાયત કરવામાં આવી છે. આ તમામ કન્વીનરોની વિજાપુરના ભાવસોર બસ સ્ટેન્ડ પાસેથી અટકાયત કરવામાં આવી છે. આ પહેલાં પદયાત્રા સ્થળ પર પહોંચેલા 20 જેટલા યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. એટલું જ નહીં, મહેસાણાના પાસ કન્વીનર નરેન્દ્ર પટેલની પણ પિલવાઈ ગામ પાસેથી અટકાયત કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો