COVID-19: રક્ષા મંત્રી રાજનાથ સિંહ કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા, ઘરમાં જ થયા ક્વારૈંટાઈન

ગુરુવાર, 20 એપ્રિલ 2023 (14:59 IST)
રક્ષા મંત્રી રાજનાથ સિંહ કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે. તેમને હાલ ઘરમાં જ ક્વારેન્ટાઈન કરવામાં આવ્યા છે.  ડોક્ટરોની એક ટીમે તેમનુ ચેકઅપ કર્યુ છે અને આગામી થોડા દિવસ માટે આરામ કરવાની સલાહ આપી છે.  ડોક્ટરો મુજબ રક્ષા મંત્રીમા હળવા લક્ષણો જોવા મળ્યા છે. 

 
ઉલ્લેખનીય છે કે રાજનાથ સિંહને ગુરૂવારે જ ભારતીય વાયુસેનાની કમાંડર કૉન્ફ્રેંસમાં જવાનુ હતુ. પરંતુ સંક્રમિત આવ્યા પછી તેમણે પોતાનો કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર