રિલાયંસ ઈંડસ્ટ્રીંઝ લિમિટેડ(આર.આઈ.એલ)ના ચેયરમેન મુકેશ અંબાનીએ રિલાયંસ જિયોની સત્તાવાર લોંચની જાહેરાત કરી. રિલાયંસ સમુહે મોબાઈલ અને ઈંટરનેટ ઈંડસ્ટ્રીમાં 4જી સાથે ધમાકેદાર એંટ્રી કરી છે. અંબાની એજીએમમાં રિલાયંસ જિયોને લોંચ કરતા 45 મિનિટનુ ભાષણ આપ્યુ. આ દરમિયાન ભારતીય એયરટેલ, આઈડિયા સેલ્યુલર અને રિલાયંસ કમ્યૂનિકેશંસને ખૂબ નુકશાન થયુ.
એયરટેલ અને આઈડિયાને 13,800 કરોડનુ નુકશાન થયુ. એયરટેલ, આઈડિયા અને મુકેશના ભાઈ અનિલ અંબાનીના રિલાયંસ કમ્યૂનિકેશન્સન શેયર્સ આ દરમિયાન ક્રમશ : 6.57 ટકા, 9.57 ટઆ અને 6.31 ટકા ગબડી ગયા. બી.એસ.ઈમાં ભારતી એયરટેલના શેયરની કિમંતો 8.99 ટકા ઓછી થઈને 302 રૂપિયાના દર પર આવી ગઈ. બીજી બાજુ દેશની ત્રીજી સૌથી મોટી ટેલીકોમ કંપની આઈડિયા સેલ્યુલરના શેયર પણ 9.09 ટકા ગબડીને 85 રૂપિયાના દર પર આવી ગયા. આ છેલ્લા 53 અઠવાડિયાનું સૌથી નીચુ સ્તર છે.