ઓવૈસીની પાર્ટીના નેતાએ આવુ શું કહ્યુ કે પોલીસ ફરિયાદ દાખલ

રવિવાર, 16 ઑક્ટોબર 2022 (16:50 IST)
હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમના નેતા અને ઉત્તર પ્રદેશ પ્રમુખ શૌકત અલી વિરુદ્ધ ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
 
'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે તેમણે ઉત્તર પ્રદેશના સંભલમાં હિંદુઓ વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપ્યું હતું. શનિવારે તેમના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.
 
વીડિયોમાં તેઓ કહે છે, "મુસલમાનોએ હિન્દુસ્તાન પર 832 વર્ષ સુધી રાજ કર્યું. તમે (હિંદુ) અમારા બાદશાહ સામે પોતાના હાથ પાછળ રાખીને 'જી હજૂરી' કરતા હતા. જોધાબાઈ કોણ હતી? અમે તો ક્યારેય કોઈ ભેદભાવ કર્યો નથી. અમારાથી મોટા બિનસંપ્રદાયયિક કોણ છે?"
 
શૌકત અલીએ સાધુ-સંતોને લઈને પણ આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો.
 
જિલ્લા પોલીસ અધીક્ષક ચક્રેશ મિશ્રાએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું, "શૌકત અલી વિરુદ્ધ આઈપીસીની કલમ 153એ(ધર્મના આધારે બે સમૂહ વચ્ચે તણાવ પેદા કરવો) અને 295એ (ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો પ્રયાસ) અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે."

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર