Karnataka Accident, - તિરુપતિ જતી બસ સાથે ટ્રકની ટક્કર, 9 લોકોના મોત; 15 થી વધુ ઘાયલ

શુક્રવાર, 12 જુલાઈ 2024 (09:08 IST)
Karnataka Accident
કોલાર નજીક શુક્રવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં એક ટ્રકે મુસાફરોથી ભરેલી બસને ટક્કર મારી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ બસ મુસાફરો સાથે બેંગલુરુથી તિરુપતિ જઈ રહી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયાની માહિતી સામે આવી છે, જ્યારે અકસ્માતમાં 15થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. હાલ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તેમજ રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. પોલીસની ટીમ ઘાયલોને હોસ્પિટલ લઈ જવાની કામગીરી કરી રહી છે. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

 
સમાચાર અપડેટ થઈ રહ્યા છે 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર