અરવિંદ કેજરીવાલે AAP ના રાષ્ટ્રીય સંયોજક, પંકજ ગુપ્તાને સેક્રેટરી તરીકે અને ND ગુપ્તાને કોષાધ્યક્ષ ચૂંટ્યા

રવિવાર, 12 સપ્ટેમ્બર 2021 (13:27 IST)
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રવિવારે સતત ત્રીજી વખત આમ આદમી પાર્ટી (આપ) ના રાષ્ટ્રીય કન્વીનર તરીકે ચૂંટાયા. રવિવારે યોજાયેલી AAP ની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર તરીકે કેજરીવાલનું નામ મંજૂર કરવામાં આવ્યું હતું. આ સાથે જ પાર્ટીના નેતા પંકજ ગુપ્તાને રાષ્ટ્રીય સચિવ તરીકે અને એનડી ગુપ્તાને રાષ્ટ્રીય ખજાનચી તરીકે ફરીથી ચૂંટવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય પરિષદે શનિવારે 34 સભ્યોની એક્ઝિક્યુટિવ બોડીની પસંદગી કરી હતી, જેમાં કેજરીવાલ પણ સામેલ હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર