Bihar Liquor Ban:દારૂ પીવાથી હવે નહીં થાય જેલ- હવે દારૂ પીનાર પકડાશે તો જેલમાં નહીં જાય

સોમવાર, 28 ફેબ્રુઆરી 2022 (15:52 IST)
Bihar Liquor Ban:બિહારમાં દારૂબંધી વચ્ચે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે દારૂ પીનાર પકડાશે તો જેલમાં નહીં જાય. તેના બદલે તેણે માત્ર દારૂ માફિયાઓની માહિતી આપવાની રહેશે. મળેલી માહિતીના આધારે જો દારૂ માફિયાઓની ધરપકડ કરવામાં આવે તો દારૂ પીનારને જેલ નહીં જવું પડે.

નાલંદામાં નકલી દારૂ પીવાથી 12 લોકોના મોત થયા બાદ NDAના ઘટક JDU અને BJP વચ્ચે શરૂ થયેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. દરમિયાન, કોર્ટમાં દારૂબંધીને લગતી પેન્ડિંગ અરજીઓની વધતી સંખ્યાને જોતા, રાજ્ય સરકાર નશાબંધી કાયદામાં સુધારો કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નશાબંધી, આબકારી અને નોંધણી વિભાગે આ અંગે સુધારા પ્રસ્તાવ તૈયાર કર્યો છે. નવા સુધારામાં દારૂ પીવાના ગુનામાં પકડાયેલા આરોપીઓને થોડી રાહત મળી શકે છે. દારૂ પીવાના ગુનામાં તેને જેલમાં મોકલવાને બદલે મેજિસ્ટ્રેટ સમક્ષ નિયત દંડ ભરીને છોડી દેવાની જોગવાઈ કરી શકાય. દંડ ન ભરવાના કિસ્સામાં જ તેને જેલમાં મોકલવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર