Budget 2022: બજેટ પર Rahul Gandhi ની પહેલી પ્રતિક્રિયા, જાણો શુ કહ્યુ

મંગળવાર, 1 ફેબ્રુઆરી 2022 (15:30 IST)
Budget 2022: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) મંગળવારે આક્ષેપ કર્યો હતો કે વર્ષ 2022-23 માટે રજૂ કરવામાં આવેલા સામાન્ય બજેટમાં પગારદાર વર્ગ, મધ્યમ વર્ગ, ગરીબ, ખેડૂતો, યુવાનો અને નાના વેપારીઓ માટે કંઈ નથી. તેમણે ટ્વીટ કર્યું કે, મોદી સરકારના બજેટમાં કંઈ નથી. મધ્યમ વર્ગ, નોકરિયાત વર્ગ, ગરીબ અને વંચિત વર્ગ, યુવાનો, ખેડૂતો અને એમએસએમઈ માટે કંઈ નથી.
 
નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે લોકસભામાં નાણાકીય વર્ષ 2022-23નું બજેટ રજૂ કર્યું હતું. સાથે જ રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આ વર્ષનું બજેટ માત્ર અમીરો માટે છે, તેમાં ગરીબો માટે કંઈ નથી. તેણે અગાઉ જે કહ્યું હતું તેનું પુનરાવર્તન કર્યું છે. તેઓ કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરે છે, આ અમીરોનું બજેટ છે.
 
બીજી બાજુ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કર્યું, “ભારતનો પગારદાર વર્ગ અને મધ્યમ વર્ગ રોગચાળાના આ યુગમાં, પગારમાં સર્વાંગી ઘટાડો અને મોંઘવારીમાં રાહતની અપેક્ષા રાખી રહ્યા હતા. નાણાપ્રધાન અને વડા પ્રધાને તેમના પ્રત્યક્ષ કર-સંબંધિત પગલાંથી ફરી એકવાર આ વર્ગોને ખૂબ જ નિરાશ કર્યા છે.
 
તેમણે આરોપ લગાવ્યો કે આ નોકરિયાત વર્ગ અને મધ્યમ વર્ગ સાથે વિશ્વાસઘાત છે. સુરજેવાલાએ એ પણ પૂછ્યું કે શું સરકારે 'ક્રિપ્ટો કરન્સી'થી થતી આવક પર ટેક્સ લાદીને બિલ લાવ્યા વિના 'ક્રિપ્ટો કરન્સી'ને કાયદેસર કરી દીધી છે
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર