તમારા આશિયાનાને કોઈની નજર ના લાગે ,અજમાવો આ ઉપાય

મંગળવાર, 4 નવેમ્બર 2014 (16:45 IST)
ઘરને પવિત્રતા માટે નિયમિત રૂપથી રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને દરેક મંગળવાર અને શનિવારે હનુમાન મંદિર જાઓ અને સુંદરકાંડનો પાઠ કરો. 
 
ચારે બાજુની નકારાત્મક ઉર્જાની અસર ખત્મ કરવા માટે પોતાના ઘરમાં નિયમિત રૂપથી ગૌમૂત્રને  છાંટવું. ગૌમૂત્રને પવિત્ર પદાર્થ માન્યું છે અને એમાં વાતાવરણમાં રહેલ બધી નકારાત્મક શક્તિઓને સમાપ્ત કરવાની શક્તિ હોય છે. 
 
જો તમને શક હોય કે તમારા પર કોઈએ ટોના-ટોટકા કર્યા  છે તો ગો મૂત્ર સર્વશ્રેષ્ઠ ઉપચાર છે. તમારા શરીર પર ગૌમૂત્રનો છંટકાવ  કરી લો. 
 
દરરોજ થોડું-થોડું ગૌમૂત્ર પીવાથી પણ લાભ થાય છે. 
 
માત્ર આ બે ઉપાયથી બધા પ્રકારના ટોના-ટોટકા અને ખરાબ નજરથી બચી શકાય છે. 
 
તમારા આશિયાનાને બુરી નજરથી બચાવશે  આ મંત્ર 
 
ઘરને ખરાબ નજરથી બચાવવા માટે આ મંત્રને લખીને ઘરમાં રહેલ ભગવાનના મંદિરમાં મુકો સાથે એક નાળિયેર અને સોપારી મુકો.
 
નમસ્તે રૂદ્ર્રૂપાય કરિરૂપાય તે નમ: 
 

વેબદુનિયા પર વાંચો