આ પ્રકારના સંભોગથી થાય છે પુત્ર પ્રાપ્તિ

મંગળવાર, 19 ડિસેમ્બર 2017 (17:51 IST)
કામસૂત્રમાં સંભોગના પ્રકાર અને ક્રિયાઓ સાથે જોડાયેલ અનેક મહત્વપૂર્ણ તથ્યોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. કામસૂત્ર પ્રત્યે સામાન્ય રીતે લોકોની એ ધારણા છે કે આ ફક્ત સંભોગની ક્રિયા સાથે જોડાયેલો વિષય છે. પણ આ વાસ્તવિકતા નથી. 
 
હકીકતમાં જો સકારાત્મક રૂપે કામસૂત્રને જોવામાં આવે તો આ ખૂબ જ આનંદદાયક વિષયોનો સંગ્રહ છે. કામશાસ્ત્રમાં મહર્ષિ વાત્સ્યાયને આ વાતને પણ બતાવી છે કે જો કોઈ સંતાનના રૂપમાં પુત્ર ઈચ્છતુ હોય તો તેને કેવી રીતે સંભોગ કરવુ જોઈએ. 
 
કામસૂત્ર મુજબ આ માટે સ્ત્રીએ હંમેશા પુરૂષની ડાબી બાજુ સુવુ જોઈએ. થોડી વાર ડાબા પડખે સૂવાથી જમણો સ્વર અને જમણી કરવટ સૂવાથી ડાબો સ્વર ચાલૂ થઈ જાય છે. આવામાં જમણી બાજુ સૂવાથી પુરૂષનો જમણો સ્વર ચાલવા માંડશે અને ડાબી બાજુ સૂતેલી સ્ત્રીનો ડાબો સ્વર ચાલવા માંડશે. જો આવુ શક્ય થાય ત્યારે જ સંભોગ કરવો જોઈએ. આ સ્થિતિમાં જો ગર્ભાધાન થઈ ગયુ તો જરૂર પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે. સાથે જ તેનાથી વિપરિત નિયમો અપનાવવાથી સંતાનના રૂપમાં કન્યાની પ્રાપ્તિ થાય છે. 
 
કામસૂત્ર મુજબ કન્યા સંતાન માટે સ્ત્રીએ હંમેશા પુરૂષની જમણી બાજુ સુવુ જોઈએ. આ સ્થિતિમાં સ્ત્રીનો જમણો સ્વર ચાલવા માંડશે અને પુરૂષનો ડાબો સ્વર ચાલવા માંડશે.. ત્યારબાદ સંભોગ કરવાથી જો ગર્ભાધાન થાય છે તો ચોક્કસ જ તમને એક સુયોગ્ય અને ગુણવતી કન્યા સંતાનની પ્રાપ્તિ થશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર